Saturday, October 9, 2010

કવિ શ્રી મહીપતરામ જોષી એવોર્ડ અર્પણ કરવા બાબત.

ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે સૌરાષ્ટ્રના જાણીતા બાળ સાહિત્યકાર શ્રી મહીપતરામ જોષીની સ્મૃતિમાં સ્થપાયેલ ટ્રસ્ટ “જીવનકલા ફાઉન્ડેશન”, રાજકોટ દ્વારા આગામી વર્ષથી દર વર્ષે બાળ સાહિત્યની ઉમદા સેવા કરનાર માટે નિયમિત રીતે એક એવોર્ડ આપવાનું આયોજન કર્યું છે. એવોર્ડ માટે પસંદગી પામનાર સર્જકને સન્માનપત્ર, શાલ અને ધનરાશી આપવામાં આવશે.
કોણ ભાગ લઇ શકે ?
૧. બાળ સાહિત્યકાર (બાળગીતો, બાળ વારતા, બાળ કાવ્યો, જોડકણાં, ઉખાણા, વિગેરે જેવા બાળસાહિત્યના સ્વરૂપોમાં સર્જન કરનાર સર્જક)
૨. બાળ સાહિત્ય અંગે નોંધપાત્ર સંશોધન કરનાર
૩. અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યના કોઇપણ પ્રકારનો ઉત્તમ અનુવાદ-ગ્રંથ-પુસ્તક કરનાર
એવોર્ડ માટે આ બાબતો ધ્યાને લેવી

૧. કવર ઉપર સુવાચ્ય, સ્પષ્ટ અને મોટા અક્ષરે “કવિ શ્રી મહીપતરામ જોષી એવોર્ડ માટે” એમ લખવું, અન્યથા મોકલનારની એન્ટ્રી ઉક્ત એવોર્ડ માટે ધ્યાને લેવામાં આવશે નહી.
૨. દરેક સર્જકોને વિનંતી કે વર્ષ ૨૦૦૩ પછી પ્રકાશિત થયેલા જ બાળ સાહિત્યના સ્વરૂપોમાહેના કોઇપણ સ્વરૂપના પુસ્તકની એક-એક નકલ મોકલવી.
૩. ઉલ્લેખનિય છે કે આ એવોર્ડ માટે એન્ટ્રી મોકલનાર સર્જકના બહુ વધારે સંખ્યામાં પણ પુસ્તકો પ્રગટ થયા હોય, છ્તાં એમના તરફથી “જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ”ને મોકલવામાં આવેલ પુસ્તકોને જ માન્ય રાખવામાં આવશે-જે ખાસ ધ્યાનમાં લેવું.
૪. મોકલનાર તમામ સર્જકે સુવાચ્ય અક્ષરે પોતાનું નામ, સંપૂર્ણ પરિચય, પાસપોર્ટ સાઇઝના બે (૨) ફોટોગ્રાફ્સ મોકલવા અનિવાર્ય છે.
૫. આ એવોર્ડ માટે “જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ” નો નિર્ણય આખરી રહેશે. કોઇપણ સર્જકનો કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ રહેશે નહીં
૬. આ એવોર્ડ માટે કોઇપણ પ્રકારની પૂછપરછ માત્ર ટપાલ મારફત કરવી અથવા Email: jigarmsw@gmail.com પર પૂછી શકો છો. (આપ સુજ્ઞ છો વ્યસ્તતાને સમજી શકો છો)
૭. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૩૧/૧/૨૦૧૧

એન્ટ્રી મોકલવાનું સરનામુ:
ચંદ્રિકાબેન જોષી, પ્રમુખ શ્રી જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ, ૫૯/ ગંગોત્રી પાર્ક, યુનિ. રોડ, રાજકોટ-

No comments: