શબરી જેવા શ્વાસ લઈને વિનવું છું હે રામ
રુદિયે આવી તમે વસોને તો જ મળે આરામ
દરશ તમારા કરવા કાજે નૈંન સદાય અધીરા
લગે આયખુ એવું જાણે ભજન વિના મંજીરા
બધા નામથી ઢૂકડું લાગે એક તમારું નામ
રહ્યા શ્વાસની રજાઇ તમને આવી હું ઓઢાડું
પ્રભુ તમારા વિણ સાચે આ નથી હાંકવું ગાડું
બધું તમારું તમને પાછું સોંપી દઉં છું રામ
Monday, June 14, 2010
અછાંદસ : હું એટલે : જિગર જોષી ‘પ્રેમ’
અછાંદસ : હું એટલે : જિગર જોષી ‘પ્રેમ’
હું
એટલેઅધુરાં પત્રો
ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઇ ક્ષણની શ્યાહી
અગણિત રાતોના મીઠાં– કડવાં ઉજાગરાઓ
અધુરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે
અડધો અડધ સળગાવી દીધેલી ડાયરી
ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ
ટેબલ પર જ્યાં ત્યાં વિખરાઇ પડેલા શબ્દો
પીળાશથી ઘેરાયેલો પહાડ
ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ...
અરધી રાતે આંખ વચાળે ફફડી ઉઠેલા સપનાઓની ચીંસ
બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મુરઝાઇ ગયેલું લોહી રંગનું ફૂલ
અને તું એટલે
આ બધાંયનું મૂળ !
‘શ્રધ્ધા...’
હું
એટલેઅધુરાં પત્રો
ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઇ ક્ષણની શ્યાહી
અગણિત રાતોના મીઠાં– કડવાં ઉજાગરાઓ
અધુરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે
અડધો અડધ સળગાવી દીધેલી ડાયરી
ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ
ટેબલ પર જ્યાં ત્યાં વિખરાઇ પડેલા શબ્દો
પીળાશથી ઘેરાયેલો પહાડ
ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ...
અરધી રાતે આંખ વચાળે ફફડી ઉઠેલા સપનાઓની ચીંસ
બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મુરઝાઇ ગયેલું લોહી રંગનું ફૂલ
અને તું એટલે
આ બધાંયનું મૂળ !
‘શ્રધ્ધા...’
Friday, April 16, 2010
થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ.. -જિગર જોષી ‘પ્રેમ’
ટેબલ પર પડેલા ચાના કપ ઉપર એક પંખીનું પ્રિન્ટેડ ચિત્ર છે. બરાબર મારી બેઠકની સામે ક્રોસમાં એક નાનકડી નાજુક બારી છે. બારીમાંથી (મારા નહીં) સામેના ફળીયામાં ઊગેલા લીમડાની અમુક ડાળીઓ રોજ મને કશુંક કહ્યા કરે છે. બારીની બાજુમાં રહેલી જુઈની વેલ મારા ઓરડામાં ડોકાઈ ડોકાઈને પોતે જિવંત છે એવો અહેસાસ કરાવ્યા કરે છે, પણ આ બધાની વચ્ચે ક્યાંય ટહુકાઓ સંભળાતા નથી. આજે વાત કરવી છે ટહુકા વિનાની વાંઝણી બની ગયેલી શેરીઓની. વાત કરવી છે એવા શહેરની કે જ્યાના વૃક્ષોને પંખીઓના માળાનો ફાલ બેસતો નથી. આજે વાત કરવી છે એવા ફળીયાની જેને ટહુકાઓના વિશ્વ વિશે કશી ગતાગમ રહી નથી....પણ આ બધું કોના કારણે ? ! આના માટે હું, તમે અને આપણો સમાજ જ જવાબદાર છે. રોજ અખબારી-યાદી અપડેટ થઈને મને આંગળી ચીંધીને ઊભી રહે છે. ‘આજે ફલાણા શહેરમાંથી ફલાણી સંખ્યામાં ફલાણા પંખીના મૃતદેહો હાથ લાગ્યા, વગેરે વગેરે...’
ક્યારેક તો માણસ જાતને બુધ્ધિહીનતાનો લકવો મારી ગયો હોય એમ લાગે છે. કારણ વિનાની ભૌતિક ચીજ વસ્તુઓની દોટ પાછળ પ્રકૃતિનો વિનાશ નોતરનારા માનવીનું માનવપણું કોણ જાણે ક્યાં ભાડે દીધું છે ! પુરાતત્વવિદોને જોઈને ક્યારેક એમ થાય છે કે એ લોકો કદાચ દટાયેલો ‘માણસ’ જ શોધતા હશે. ગઈ કાલે જ્યારે બજારમાંથી પંખી પરિચયનું એક પુસ્તક ખરીદ્યુ ત્યારે અમુક પંખીઓના તો નામ પણ પહેલી વેળા જ સાંભળ્યા કે જે આપણાં જ શહેરના (ભુતકાળના) વતની (રહેવાસી) હતા. આપણે આપણા વર્તમાનનું સરખી રીતે જતન નથી કરી શકતા તો આપણા બાળકોને શું ખાખ ઉજ્જ્વળ ભાવિ દેવાના ? ગગનચુંબી ઇમારતોના શહેરમાં ટહુકાઓ ન જ સંભળાય દોસ્ત ! ‘અમુક વસ્તુઓ તો ડીક્સનરીમાં જ શોભે’ એવા વાતાવરણમાં જીવવાની કળા આપણે હસ્તગત કરી લીધી છે.
તમારામાંથી કેટલાકને જે વાત કહેવી હતી એજ વાત આજે મેં મારા શબ્દોથી તમારા હાથમાં એક ટહુકાની જેમ વહેતી મૂકી છે. કાશ ! તમારા કાન એટલા સંવેદનશિલ હોય કે આ ટહુકો સાંભળી શકે...કદાચ આપ મેગા સીટીઝના વતની હશો તો આ વાત તમને એકદમ સૂક્ષ્મતાથી સ્પર્શશે અને ગામડાંના (જો કે ગામડાં પણ હવે શહેરીપણાંની ડીક્સનરીમાં જ અપડેટ થતાં જાય છે) વતની હશો તો નજીકના ભાવિની હેડકી રૂપે યાદ આવશે. ધીરે ધીરે એવો સમય આવશે જ્યારે ફળીયાઓ હીબકા ભરતા હશે ! ઝાડવાઓ ‘પર્ણ ખર્યાનો વસવસો ક્યાં ઠાલવવો’ એની મૂંઝવણ અનુભવતા હશે ! શેરીને જાણે ‘ખાલીપા’ નામનો અજગર ભરડો લઈને બેઠો હોય એમ લાગતું હશે! આકાશમાં ક્યાંક ઉડતું પંખી દેખાશે તો કોઇ અખબારી યાદીમાં ‘TITLE-PAGE’ પર બોલ્ડ અક્ષરોમાં પ્રકાશિત કરાશે. ફૂલોના શહેરમાં જાણે પરમેનન્ટ કર્ફ્યુનો માહોલ હશે ! વૃક્ષોની ડાળીઓ પર કલરવની બદલે સન્નાટાઓ ઝૂલતા હશે ! ટહુકાના આયનાઓ ફૂટ્યા પછી એની કરચો આપણી સંવેદનાના હાથને ચૂંભશે. એવે ટાણે આપણી આંખો કોઇ પંખી શોધવા દોડશે પણ ત્યારે આપણી દ્રષ્ટિને કદાચ અંધાપો ભરખી ગયો હશે ! મોસમના ઓરડાને જાણે તાળા લગાવવાની ફરજ પાડી હોય એમ લાગશે ! થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ...ચબૂતરો એ જોવા લાયક સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે ! પછી ધીરે ધીરે ‘અહીં પહેલાં ચબૂતરો હતો’ એવો જાજરમાન ભુતકાળ ‘ઇતિહાસ’ બનીને પાઠ્યક્રમમાં આપણી ભાવિ પેઢીને ભણાવવામાં આવશે. પ્રશ્ન પત્રમાં પહેલો જ પ્રશ્ન હશે કે ‘પંખી એટલે શું ?’ તેની કોઇપણ પાંચ વિશેષતાઓ વર્ણવો...તેના જવાબની શરૂઆત કદાચ આવી હશે કે આજથી 200 – 500 વર્ષ પહેલા પંખી નામનું જીવ આપણી ધરતી પર વિપુલ પ્રમાણમાં જોવા મળતુ હતુ વગેરે વગેરે...
મારી બારીએ આરામથી બે ઘડી બેસી અને ઊડી ગયેલી ચકલીની આંખો મારાથી વંચાઇ ગઈ અને આજે આ અર્ટિકલ લખાઈ ગયો છે. મને શ્રધ્ધા છે કે તમને આ ચકલીનો ટહુકો સંભળાશે.
---- ટહુકો ----
કવિ શ્રી ગૌરાંગ ઠાકરનો એક શે’ર આ તકે યાદ આવે છે
આ ગગનચુંબી ઘરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછુ થાય છે.
ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી ને એને એમાં રસ પણ નથી.....- જિગર જોષી ‘પ્રેમ’
જે આંખમાં ભીનાશ નથી ત્યાં ઇશ્વરનો વાસ નથી. દુ;ખ એ સુખની પૂર્વ શરત છે. પીડા એ પરમત્વ તરફની દિશા નિર્દેશ કરે છે.‘આંસુ’ એ ભાવિ આનંદનું તિલિસ્મી તત્વ છે. એક એવી સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ મન ભરીને રડી લે છે અને પુરુષને રડવામાં પહાડ જેવડો અહમ આડો આવે છે. વિજ્ઞાન પણ આ વાતનો સાથ પુરે છે કે એક હદ સુધી જ આંસુને રોકી શકાય છે. અને એ હદ દરેક જીવ એકવાર તો વટાવી જ દે છે. આંખ એ એવો દરિયો છે જેમાં તોફાન ઉઠવું એ સાહજિક બાબત ગણાવી શકાય. દરિયામાં જેટલું ઉંડાણ છે એટલુ જ ઉંડાણ આંખ પણ ધરાવે છે, અને એ પણ દરિયા જેવી જ એક નોખી સૃષ્ટિની વારસદાર છે. આંખ એ વ્યક્તિત્વને છતું કરતું દરપણ છે. ને આ દરપણમાં સચવાઇને જિવન પર્યંત એક આખું વિશ્વ પડ્યુ રહે છે.
માણસ કંઇ કેટલુંયે સાથે લઇને જીવતો હોય છે. સમયનું રણ, સહેજ પોતિકુ વલણ, ઉછીના શ્વાસનું આવરણ, સતત પીછો કરતું પડછાયા જેવું સ્મરણ, અને નહીં જીવાયેલી અઢળક ક્ષણ... આ બધાયનો સરવાળો એટલે જ કદાચ ‘જીવન’ ! આમ જોઇએ તો કોઇ આર્ટ ગેલેરીમાં ઘટનાઓને એક ફ્રેમમાં મઢીને દિવાલ પર ટાંગી દીધેલું જીવન જ આપણે સૌ માણી રહ્યા છીએ. થોડી થોડી વારે એક નવો ચહેરો સાવ નવી અને જુદી જ નજરે આપણને નિહાળે છે અને પોતાની રીતે એનું તારણ પણ કાઢે છે. ક્યાંય જિવંતતા લાગતી નથી ! ક્યાંક કોઇ ફોટોગ્રાફર જેવી ક્ષણો આપણને કિલક કર્યા કરે છે. અને આપણે (પરાણે) સ્માઇલ આપતા રહીયે છીએ.
સાવ ખુલ્લા મને જીવતા આપણે ક્યારે શિખીશું એ એક ઉખાણું છે જેનો જવાબ હજી સુધી એકેય પેપર સોલ્યુસન્શમાં અંકિત નથી. આપણને હજુ આપણા અસ્તિત્વ વિશે પુરી સભાનતા નથી ત્યાં ઇશ્વરના હોવા ઉપર શંકા કરવા બેઠાં છીએ ! રોજ નવો ઉમંગ લઈને સવાર ઊગ્યા કરે છે. સૂરજ રોજ આકાશના બ્લેક-બોર્ડ પરથી ‘ગઈકાલ’ને લૂછ્યા કરે છે. સમય કાંડે ઘડિયાળ ન બાંધતો હોવા છતાંયે ક્યારેય મોડો પડતો નથી. આપણી આંખોને તાજગી મળે એટલે ફૂલો ઉગ્યા કરે છે. ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી. એને એમાં રસ પણ નથી. પણ આપણને સહુને નેગેટીવિટીના ચશ્મા ચડાવીને ફરવાની આદત પડી ગૈ છે. અને આ ચશ્મા પર રોજ શંકાશિલતાની રજ ચોંટ્યા કરે છે એને સાફ કરવાની તસ્દી આપણે કેમ નથી લેતા એજ મોટો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે આપણી હાર પચાવી શકતા નથી. એટલે સંજોગોને વિટનેસ પણ બનાવીએ છીએ અને ગુન્હેગાર પણ. આપણી પાસે દરેક હારના ‘ડીફેન્સ’ રેડી મેઈડ હોય છે. આપણે જેટલી મહેનત આવા (નકામા) કારણો શોધવામાં કરીએ છીએ એટલી મહેનત કદાચ નિર્ધારિત ધ્યેયને પામવામાં કરીએ તો ‘કોઇ પંખીની આંખ’ ચોક્ક્સ વિંધી શકીએ છીએ. કેમ ? Think about it.
પગથિયા ચડતી વખતે લાગેલો થાક પગથિયા ઉતરતી વખતે આનંદના ઉમળકા પહેરીને પગલાઓને ચૂમવા અધીરાઈ દાખવતો હોય છે. મંદિર એ શાંતિનું જન્મ સ્થળ છે. ત્યાંથી અલૌકિક શક્યતાઓની નવી ક્ષિતિજો શરૂ થાય છે. ઝાલરી રણકાઓ, હવા જેમ ફૂલોને અડકે એવી નાજુકાઈથી આપણા કાનને અડકતા હોય છે. સમાધી જેવું સાન્નિધ્ય તો કેવળ ઇશ્વર જ બક્ષે છે.
રોજ આપણામાં કશુંક ઉઘડવું જોઇએ. વરસાદ વરસ્યા પછી ચડી ગયેલા બારી-બારણા જેવા આપણે સૌ સમયસર ઉઘડી કે બંધ નથી થૈ શકતા એ વાતનો ભારોભાર અફસોસ છે. દરેકમાં કૈંક ને કૈંક એવી ક્રિએટીવીટી પડેલી છે કે જો એનો સુપેરે સુયોગ સધાય તો ‘સ્ટ્રેસ’ નામનો માનસીક રોગ મહદ અંશે મીટાવી શકાય. ધીરી ધીરે વ્યસ્તતાઓની કૂંપળ ક્યારે વટવૃક્ષ થઈને એના મૂળીયા આપણી ‘પોતીકી મજાના ફળીયાનો’ ભરડો લઈ જાય છે એની જાણ સુધ્ધા આપણને રહેતી નથી. ‘જીવ’ એ પ્રવૃત્તિરત રહેવા માંગે છે. એકાંત અને એકલતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એકલતા માણસને કોરી ખાય છે. જ્યારે એકાંતમાંથી જાગૃત સમાધીનું સાન્નિધ્ય સાંપડતું હોય છે. ‘સ્વ’ને પામવાનો ઉત્તમ માર્ગ એ એકાંતનું સાન્નિધ્ય છે. ‘જેમ ઉઘાડ નીકળ્યા પછી જ સાત રંગ અવતરે, જેમ પાનખરમાં એક્સપાઈરી ગુમાવી ચૂકેલા પાંદડાઓ ખરે’ એ વાતમાં જેટલી માર્મિકતા અને તાર્કિક્તા છે એમ જ આ વાતમાં પણ એટલો જ ગહન સંદર્ભ છે કે ‘બધાની ભીતરે કશેક કૈંક દિવ્ય છે, એ નાશવંત નથી પણ એ નિત્ય છે. બધી જ વાત આમ તો અગમ તત્વ સુધી જઈને અટકે છે.
---- ટહુકો ----
સમંદર બનવા માટે પહાડેથી ‘ધોધ થઈને પડવું’ પડે છે.
માણસ કંઇ કેટલુંયે સાથે લઇને જીવતો હોય છે. સમયનું રણ, સહેજ પોતિકુ વલણ, ઉછીના શ્વાસનું આવરણ, સતત પીછો કરતું પડછાયા જેવું સ્મરણ, અને નહીં જીવાયેલી અઢળક ક્ષણ... આ બધાયનો સરવાળો એટલે જ કદાચ ‘જીવન’ ! આમ જોઇએ તો કોઇ આર્ટ ગેલેરીમાં ઘટનાઓને એક ફ્રેમમાં મઢીને દિવાલ પર ટાંગી દીધેલું જીવન જ આપણે સૌ માણી રહ્યા છીએ. થોડી થોડી વારે એક નવો ચહેરો સાવ નવી અને જુદી જ નજરે આપણને નિહાળે છે અને પોતાની રીતે એનું તારણ પણ કાઢે છે. ક્યાંય જિવંતતા લાગતી નથી ! ક્યાંક કોઇ ફોટોગ્રાફર જેવી ક્ષણો આપણને કિલક કર્યા કરે છે. અને આપણે (પરાણે) સ્માઇલ આપતા રહીયે છીએ.
સાવ ખુલ્લા મને જીવતા આપણે ક્યારે શિખીશું એ એક ઉખાણું છે જેનો જવાબ હજી સુધી એકેય પેપર સોલ્યુસન્શમાં અંકિત નથી. આપણને હજુ આપણા અસ્તિત્વ વિશે પુરી સભાનતા નથી ત્યાં ઇશ્વરના હોવા ઉપર શંકા કરવા બેઠાં છીએ ! રોજ નવો ઉમંગ લઈને સવાર ઊગ્યા કરે છે. સૂરજ રોજ આકાશના બ્લેક-બોર્ડ પરથી ‘ગઈકાલ’ને લૂછ્યા કરે છે. સમય કાંડે ઘડિયાળ ન બાંધતો હોવા છતાંયે ક્યારેય મોડો પડતો નથી. આપણી આંખોને તાજગી મળે એટલે ફૂલો ઉગ્યા કરે છે. ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી. એને એમાં રસ પણ નથી. પણ આપણને સહુને નેગેટીવિટીના ચશ્મા ચડાવીને ફરવાની આદત પડી ગૈ છે. અને આ ચશ્મા પર રોજ શંકાશિલતાની રજ ચોંટ્યા કરે છે એને સાફ કરવાની તસ્દી આપણે કેમ નથી લેતા એજ મોટો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે આપણી હાર પચાવી શકતા નથી. એટલે સંજોગોને વિટનેસ પણ બનાવીએ છીએ અને ગુન્હેગાર પણ. આપણી પાસે દરેક હારના ‘ડીફેન્સ’ રેડી મેઈડ હોય છે. આપણે જેટલી મહેનત આવા (નકામા) કારણો શોધવામાં કરીએ છીએ એટલી મહેનત કદાચ નિર્ધારિત ધ્યેયને પામવામાં કરીએ તો ‘કોઇ પંખીની આંખ’ ચોક્ક્સ વિંધી શકીએ છીએ. કેમ ? Think about it.
પગથિયા ચડતી વખતે લાગેલો થાક પગથિયા ઉતરતી વખતે આનંદના ઉમળકા પહેરીને પગલાઓને ચૂમવા અધીરાઈ દાખવતો હોય છે. મંદિર એ શાંતિનું જન્મ સ્થળ છે. ત્યાંથી અલૌકિક શક્યતાઓની નવી ક્ષિતિજો શરૂ થાય છે. ઝાલરી રણકાઓ, હવા જેમ ફૂલોને અડકે એવી નાજુકાઈથી આપણા કાનને અડકતા હોય છે. સમાધી જેવું સાન્નિધ્ય તો કેવળ ઇશ્વર જ બક્ષે છે.
રોજ આપણામાં કશુંક ઉઘડવું જોઇએ. વરસાદ વરસ્યા પછી ચડી ગયેલા બારી-બારણા જેવા આપણે સૌ સમયસર ઉઘડી કે બંધ નથી થૈ શકતા એ વાતનો ભારોભાર અફસોસ છે. દરેકમાં કૈંક ને કૈંક એવી ક્રિએટીવીટી પડેલી છે કે જો એનો સુપેરે સુયોગ સધાય તો ‘સ્ટ્રેસ’ નામનો માનસીક રોગ મહદ અંશે મીટાવી શકાય. ધીરી ધીરે વ્યસ્તતાઓની કૂંપળ ક્યારે વટવૃક્ષ થઈને એના મૂળીયા આપણી ‘પોતીકી મજાના ફળીયાનો’ ભરડો લઈ જાય છે એની જાણ સુધ્ધા આપણને રહેતી નથી. ‘જીવ’ એ પ્રવૃત્તિરત રહેવા માંગે છે. એકાંત અને એકલતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એકલતા માણસને કોરી ખાય છે. જ્યારે એકાંતમાંથી જાગૃત સમાધીનું સાન્નિધ્ય સાંપડતું હોય છે. ‘સ્વ’ને પામવાનો ઉત્તમ માર્ગ એ એકાંતનું સાન્નિધ્ય છે. ‘જેમ ઉઘાડ નીકળ્યા પછી જ સાત રંગ અવતરે, જેમ પાનખરમાં એક્સપાઈરી ગુમાવી ચૂકેલા પાંદડાઓ ખરે’ એ વાતમાં જેટલી માર્મિકતા અને તાર્કિક્તા છે એમ જ આ વાતમાં પણ એટલો જ ગહન સંદર્ભ છે કે ‘બધાની ભીતરે કશેક કૈંક દિવ્ય છે, એ નાશવંત નથી પણ એ નિત્ય છે. બધી જ વાત આમ તો અગમ તત્વ સુધી જઈને અટકે છે.
---- ટહુકો ----
સમંદર બનવા માટે પહાડેથી ‘ધોધ થઈને પડવું’ પડે છે.
‘સાંજ’ એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે....જિગર જોષી ‘પ્રેમ’
આજે વાત કરવી છે ‘સાંજ’ની! વાત કરવી છે સંધ્યાની. વાત કરવી છે એવા સમયની, એવા પહોરની કે જે એકલતા અને ઉદાસીનું ઉદગમ સ્થાન ગણાય છે. વાત કરવી છે એવા ટાણાની જ્યારે આકાશ ફકીરીપણાની ચાદર ઓઢીને તપસ્વીપણાનો અહેસાસ કરાવે છે. ‘સાંજ’એ ભક્તિરસનું સોલો-પરફોરમન્સ છે. એ વાતાવરણના હાથે રચાયેલી રંગોળી છે.‘સાંજ’નો ઉલ્લેખ એક પણ તારીખિયામાં કે કેલેન્ડરમાં હોતો નથી, અને ઘડિયાળ પહેરીને જ સમયને વફાદાર રહી શકાય તેવી તમામ ભ્રમણાઓને એ એક જ ઝાટકે ખોટી પાડી શકે છે. આપણી અને કુદરત વચ્ચે જો કોઇ મોટો તફાવત હોય તો એ ‘વાયદો નિભાવવાનો’ તફાવત છે. કુદરત કોઇપણ કમિટમેંટ વગર આપણને કેટકેટલું આપે છે! અને આપણે સાંજ પડ્યે એટલા કમિટમેંટ આપીએ છીએ જેમાંથી મોટા ભાગના અધુરા જ રહી જાય છે. હ્રદય જેવું હોય તો ત્યાં હાથ રાખીને તમારી જાતને પુછો મારી વાત સાચી છે કે નહીં ?
‘સાંજ’ કંઇ કેટલાયે રંગો અને સ્વભાવ ધરાવે છે! માણસની જેમ જ! કયારેક ભગવો સંત જેવો, તો કયારેક મખમલી સ્વભાવ જેવો.. કયારેક આછેરો અજવાસી રંગ તો કયારેક ઉગ્રતાની ચરમસીમાએ પહોચેલા મિજાજ જેવો! એમાં એકલતા અને ઉદાસીનો મિજાજ એ આગવી વિશેષતા ધરાવે છે અને એના રંગની મજા પણ લૂંટવા જેવી છે. જાત સાથે ગોષ્ઠિ કરવાની કુંડળી કઢાવીને જરા જોઇ લેજો, સાંજ જેવો ઉત્તમ સમય એક્કય ચોઘડિયામાં ક્યાય હાથ નહીં લાગે. આમેય હું બ્રાહ્મણ ખરોને ! મેં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે આ ચોઘડિયાનો લાભ લીધો છે, એટલે જ આટલા કોન્ફીડેન્સથી આ વાત તમને કહી શકું છું.
‘સાંજ’એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે. ઢળતા સુરજના વિશાળ કેમ્પસમાં પથરાયેલી, ગેરુ રંગનો સ્પ્રે છાંટેલી આકાશી દિવાલો પેલી નજરે ધ્યાનાકર્શક લાગે એ સ્વાભાવિક છે. પણ સાંજ એ વાવ માફક ઉંડી હોય છે. જેમ જેમ પગથિયાઓ ઉતરતા જઇએ તેમ તેમ એક ચોક્કસ પ્રકારનું અંધારું આપણને ઘેરી વળવા આતુર હોય છે. સાંજ એ દિવસ દરમિયાન લાગેલા થાકનો સરવાળો નહીં પણ ઘર તરફ જતા રસ્તાઓનો હાંશકારો છે. સાંજ એ સરકસમાનું પંખી નથી કે જેને ઇચ્છા મુજબની ઉડાન માટે પરમિશન લેવી પડે. સાંજ એ તો એવું ઇન્દ્રધનુષ છે કે જેને વરસાદ પછીના ઉઘાડની કોઇ ગરજ સાલતી નથી. સાંજ એ ‘કોઇ’ના આગમનનો વિષય છે, એને પોતીકો લય છે, એના મૂળમાં પ્રણય છે. અને જેના મૂળમાં પ્રણય હોય એનાથી શુધ્ધ તત્વ દુનિયામાં બીજું તો ક્યુ હોઇ શકે ? હુક્કામાં ક્ષણોને ભરીને ગોટે-ગોટા કરવાની આગવી આવડત પણ ‘સાંજ’ પાસેથી જ આપણને પ્રાપ્ય બની છે.
સાંજ જેટલી ઉદાસ છે એટલી જ ઉદાર પણ છે. મેં સાંજને બગીચામાં એકલા પડી ગયેલા બાંકડાઓની હરોડ વચ્ચે નવી કૂંપળો ઉગાડતી જોઇ છે. સાંજ એ ખુંદવાનો નહીં પણ ડૂબવાનો વિષય છે. ‘સાંજ’ની હથીળીને ખૂબ સુક્ષ્મતાથી વાંચવી છે, એ આવનારી રાત્રીનું ભાગ્ય છતું કરે છે. ઝાલરટાણું જાણે કોઇ પરમત્વની શોધમાં લીન હોય છે. અને એનો નાદ મંદિરની શોભામાં વધારો કરનારો હોય છે. ‘ઘંટારવ એ કાનને સ્પર્શતી ઉત્તમોત્તમ ક્ષણ છે’ એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી લાગતું.
‘ઘડપણ’ અને ‘સાંજ’ મહદઅંશે એકબીજાના પુરક છે. આમેય પરિપક્વતા આવતા આવતા વાર તો લાગે જ ને! કારણકે પરિપક્વતા એ અનુભવોનો સરવાળો છે. જિવન એ આવડતોને વિક્સાવવાની પાઠશાળા છે. જેમાં આપમેળે જ એડમિશન મળી જાય છે. ઘડપણ એ નિષ્ફળતાઓને મઠારી લીધા પછીની મહેક છે. એ નિજાનંદતાને ખૂબ નજદિકથી માણવાની મોસમ છે. આંખને ઝીણી કરીને દરેક ચીજને બારીકાઇથી ચકાસવાનો અવસર છે. જવાબદારીઓને અલવિદા કહેવાનો નમ્ર પ્રયાસ છે. એ ભૂતકાળની બારીએથી ડોકિયુ કરીને વર્તમાનને અજવાળવાની મંદ ગતિ છે. ‘ને હકીકતમાં એ જ સાચી સંપત્તી છે. શ્રધ્ધાનું અજવાળું પાથરવાનો ખરો સમય સંધ્યા જ છે એ પછી વાત વાતાવરણની હોય કે જિવનની! સાંજ અને ‘ચા’ માત્ર ધડપણમાં જ એકમેકમાં ઓગળી શકે છે. અને એના જેવો બીજો એક્કેય અનુભવ ઇતિહાસમાં ક્યાય કંડારી નથી શકાયો.. ‘પ્રવૃત્તિ’ એ માનવીને ફ્રેશ રાખતું અલૌકિક ઔષધ છે.ઘડપણમાં ગમતિલી કોઇ પ્રવૃત્તિનો હિસ્સો બનવાની તક મળે તો વધાવી લેવી જોઇએ અને તક ન મળે તો ઉભી કરવી જોઇએ. નીવૃત્તિનો ખરો આનંદ પ્રવૃત્તિમય રહેવામાં જ છે. આ ઉંમરમાં આપણે અન્યના સપનાઓને નવી દિશાઓ ચીંધવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વિકારવાની હોય છે.
---- ટહુકો ----
’સાંજ’! એ પછી જિવનની હોય કે રાત પહેલાની, પણ બંને અનુભવોની આખરી પૂંજી સમાન છે. જેની સાચવણી માત્ર ‘હ્રદય’ નામનું મ્યુઝિયમ જ કરી શકે છે.
Thursday, March 11, 2010
લાગણીહીનતા – A permanent problem without temporary solutions! Jigar Joshi 'prem'
હવે બારસાખ પર તોરણ ટાંગવાથી ઉંબરાને સંસ્મરણની હેડકીઓ નથી આવતી. રેઇનકોટની ફેશન એ હદે વિસ્તરી ગઇ છે કે હવે વરસાદ સાથે સીધો સંબંધ રહ્યો નથી ! ફળીયામાં વાવેલો લીમડો ક્યારે ભુતકાળ બની ગયો તેની જાણ સુધ્ધા રહી નથી. શેરીઓ હવે ખાલીપાથી ખદબદે છે. ટહુકા વિનાના સન્નાટા પડઘાયા કરે છે.”પંખી એકે’ય નથી ગાતું છતાં માણસને કૈંજ નથી થાતું”ના વાતાવરણમાં જિવવાની આદત પાડી લીધી છે. ધીરે ધીરે આપણે એવા સમાજનો હિસ્સો બની ગયા છીએ કે જ્યાં ‘સ્ટેટસ’ નામનું સ્પીડ બ્રેકર નિર્ધારિત ગતિએ સફર કરવા દેતું નથી અને પોતીકી મજાની પરાણે પરાણે બ્રેક મારવી પડે છે. ઇચ્છાઓના સ્પ્રે છાંટી છાંટીને વ્યક્તિત્વના શર્ટમાંથી અજબ બૂ આવવા લાગી છે ! કાંડે મોંઘી ઘડિયાળ બાધવાનો શોખ તો પુરો કરી શક્યા છીએ પણ એ ઘડિયાળમાં ડોકિયું કરવાની ફુરસદ હવે હાથવગી રહી નથી.‘સમય નથી’ ‘સમય નથી’ નો ડંકો વગાડવાની આપણને સૌને (કુ) ટેવ પડી છે. આયોજન ન કરી શકયાની ઉણપ છતી ન થાય એટલા માટે આખી જાતને અરીસાના શહેરથી જોજનો દૂર રાખવાના વ્યર્થ પ્રયાસોમાંથી આપણે ક્યારે બા’ર આવીશું એ મોટો પ્રશ્ન છે. વ્યસ્તતાની કૂંપળો સતત અને સતત ફૂટ્યા જ કરે છે, પાંગર્યા જ કરે છે અને એને પાનખર પણ નથી લાગતી એ આશ્ચર્ય સુખદ છે કે દુ;ખદ એ નક્કી કરવું મુશ્કેલ છે.
‘સમય અને સંજોગની શિલા નીચે માણસ અને માણસપણું સતત ચગદાતું આવ્યું છે. ભેખડોનો ભાર એટલો છે કે આપણે અને આપણી લાગણીઓ માત્ર સ્ટેચ્યુ બનીને જ રહી ગયા છીએ. કોઇ એવી ક્ષણ હાથ લાગે કે જ્યારે આ કાટમાળ આઘો થાય અને આપણામાં બાકી રહેલી ક્ષણોને ફરી માણવાની તક મળે’.....પણ આવો વિચાર કર્યા પછી તુર્તજ આપણાં પોતીકા આકાશમાં ઘેરાઇ આવે છે અફસોસના વાદળો!..
આપણે ક્યારેય આપણી પોતાની પીઠ થપથપાવી નથી શકયા. કદાચિત એનો અર્થ એવો પણ હોય કે આપણાથી હજી સુધી એવું કોઇ કાર્ય થૈજ નથી શકયું !!! અથવા તો પેલી સમય અને સંજોગની શિલા નીચે હજુ આપણે ચગદાયેલા જ છીએ. સહેજ ઓકવર્ડ લાગે પણ કહેવું પડશે કે આ ક્ષણો, આ દશા, આ અવસ્થા, આ situation – એવી ક્ષણોને જન્મ આપ્યા કરે છે કે જેમાં ન તો લાગણીના પુષ્પો છે, ન તો સંવેદનશિલતાની મહેક ! રોજ આવા મહેક વગરના પુષ્પો સાથે આપણી જિંદગીની બાકી રહેલી ક્ષણો વાસ્તવિક્તાના બારણા સામે આવીને ઉભી રહે છે. એ નફ્ફ્ટ છે – ડોરબેલ નહીં વગાડે ! એ અભિમાની છે – અંદર આવવાની પરમિશન પણ નહીં લે ! અરે ! એ પરમેનન્ટ પ્રોબ્લેમ છે અને આપણી પાસે એના ટેમ્પરરી સોલ્યુશન્સ પણ નથી !!!?
આપણે સૌ પથ્થર થઇ ગયેલા સમાજની વચ્ચે અરીસાઓ જેવું નમાલું અસ્તિત્વ ધરાવીએ છીએ..‘ને તો પણ આપણી જાહેરાતો કરતા આપણે ખચકાતા નથી! કયારેક તો આપણી આવી હરકતો જોઇને સમય પણ મૂછમાંથી હસતો હશે ! આવા કાચના શહેરમાં એક-બીજા પર પથ્થરમારો કરતા આપણે સૌ શું સાબિત કરવા માંગીએ છીએ એ આપણે ખુદ પણ જાણતા નથી એ એક ઉલ્લેખનિય ઘટના જ કે’વાય નૈં ? અને આવા પથ્થરમારાથી પડેલી તીરાડો ખીણ જેવી ઉંડી થતી જાય છે એ આપણા પરવત જેવડા અહમને કયારેય ખબર નથી પડતી.
આપણે જ ઉભી કરેલી સીસ્ટમમાં આપણે જીવી નથી શકતા. આનાથી મોટી કરુણતા બીજી તો શું હોય ??! લાગણીહીનતા એ એવું સરોવર છે જેમાં વાતાવરણની લીલ એ હદે જામતી જાય છે કે એમાં ઉતરનાર બા’ર નીકળી નથી શકતો.
---- ટહુકો ----
કાશ ! આપણી પાસે એવો સંચો હોત કે જેનાથી આપણી બુઠ્ઠી થઇ ગયેલી સંવેદનાની પેંન્સિલની અણી કાઢી શકાય !
‘સમય અને સંજોગની શિલા નીચે માણસ અને માણસપણું સતત ચગદાતું આવ્યું છે. ભેખડોનો ભાર એટલો છે કે આપણે અને આપણી લાગણીઓ માત્ર સ્ટેચ્યુ બનીને જ રહી ગયા છીએ. કોઇ એવી ક્ષણ હાથ લાગે કે જ્યારે આ કાટમાળ આઘો થાય અને આપણામાં બાકી રહેલી ક્ષણોને ફરી માણવાની તક મળે’.....પણ આવો વિચાર કર્યા પછી તુર્તજ આપણાં પોતીકા આકાશમાં ઘેરાઇ આવે છે અફસોસના વાદળો!..
આપણે ક્યારેય આપણી પોતાની પીઠ થપથપાવી નથી શકયા. કદાચિત એનો અર્થ એવો પણ હોય કે આપણાથી હજી સુધી એવું કોઇ કાર્ય થૈજ નથી શકયું !!! અથવા તો પેલી સમય અને સંજોગની શિલા નીચે હજુ આપણે ચગદાયેલા જ છીએ. સહેજ ઓકવર્ડ લાગે પણ કહેવું પડશે કે આ ક્ષણો, આ દશા, આ અવસ્થા, આ situation – એવી ક્ષણોને જન્મ આપ્યા કરે છે કે જેમાં ન તો લાગણીના પુષ્પો છે, ન તો સંવેદનશિલતાની મહેક ! રોજ આવા મહેક વગરના પુષ્પો સાથે આપણી જિંદગીની બાકી રહેલી ક્ષણો વાસ્તવિક્તાના બારણા સામે આવીને ઉભી રહે છે. એ નફ્ફ્ટ છે – ડોરબેલ નહીં વગાડે ! એ અભિમાની છે – અંદર આવવાની પરમિશન પણ નહીં લે ! અરે ! એ પરમેનન્ટ પ્રોબ્લેમ છે અને આપણી પાસે એના ટેમ્પરરી સોલ્યુશન્સ પણ નથી !!!?
આપણે સૌ પથ્થર થઇ ગયેલા સમાજની વચ્ચે અરીસાઓ જેવું નમાલું અસ્તિત્વ ધરાવીએ છીએ..‘ને તો પણ આપણી જાહેરાતો કરતા આપણે ખચકાતા નથી! કયારેક તો આપણી આવી હરકતો જોઇને સમય પણ મૂછમાંથી હસતો હશે ! આવા કાચના શહેરમાં એક-બીજા પર પથ્થરમારો કરતા આપણે સૌ શું સાબિત કરવા માંગીએ છીએ એ આપણે ખુદ પણ જાણતા નથી એ એક ઉલ્લેખનિય ઘટના જ કે’વાય નૈં ? અને આવા પથ્થરમારાથી પડેલી તીરાડો ખીણ જેવી ઉંડી થતી જાય છે એ આપણા પરવત જેવડા અહમને કયારેય ખબર નથી પડતી.
આપણે જ ઉભી કરેલી સીસ્ટમમાં આપણે જીવી નથી શકતા. આનાથી મોટી કરુણતા બીજી તો શું હોય ??! લાગણીહીનતા એ એવું સરોવર છે જેમાં વાતાવરણની લીલ એ હદે જામતી જાય છે કે એમાં ઉતરનાર બા’ર નીકળી નથી શકતો.
---- ટહુકો ----
કાશ ! આપણી પાસે એવો સંચો હોત કે જેનાથી આપણી બુઠ્ઠી થઇ ગયેલી સંવેદનાની પેંન્સિલની અણી કાઢી શકાય !
Friday, March 5, 2010
‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે.
સૂરજ આંખો ચોળીને ઉભો થઇ ગયો છે. અંધારું બિલ્લી પગે રોજની આદત મુજબ હમણાં જ અજવાળાની પરમિશન લઇને ગયુ છે. કદાચ હજી આગલી શેરીમાં જ પહોચ્યુ હશે. ઝાકળ પોતાનું અસ્તિત્વ સમેટીને આવતીકાલની રાહ જોવામાં તલ્લીન છે. ટેબલ પર પડેલો ચાનો કપ આળસ ખંખેરવાનો ઇશારો કરી રહ્યો છે. હીંચકો અને છાપુ બંને ટગર ટગર જોઇ રહ્યા છે. એકાદ ચૂસકી લગાવો અને પછી વાંચો આજનો આર્ટિકલ. આજે ‘કવિતા’ વિશે વાત કરવાનો મૂડ છે.
‘કવિતા’ એ કાગળ ઉપર પોતીકો અજવાસ પાથરવાની પ્રક્રિયા છે. એ કહેવાની કળા છે. એ પોતાના વિચારોને અન્યો ઉપર થોપી દેવાની બાબત નથી. ‘કવિતા’ તો આપમેળે ‘પોતાના’ બનાવે એવી ક્ષમતા ધરાવે છે. એ અનુભવોના ઇન્દ્રધનુષોથી રચાય છે. કવિ પોતે શબ્દોની પસંદગી વખતે ખૂબ જાગૃત હોવો જોઇએ તો અને તો જ કવિતાને ખરો નિખાર આપી શકવામાં એ પાર ઉતરે છે. કવિતા જેવું સુક્ષ્મ અને સક્ષમ તત્વ બીજું કંઇ નથી. એ કોઇ અગમતત્વ તરફની સુસ્પષ્ટ ગતિ છે. કવિતા એટલે શબ્દોની રંગોળી કરવી. અને શબ્દોની રંગોળી કરવી એ અતિ કઠીન બાબત છે. કવિતાના રંગ, એનો સ્વભાવ–મિજાજ એજ કવિની સાચી મુડી છે. કલમ એ ટેરવાઓની વચ્ચે ઉછરી રહેલી કૂંપળ છે. શબ્દ એ શ્યાહી બનીને પ્રસરેલું આકાશ છે, એમાં આકર્ષણ ઉપજાવે તેવી ભીનાશ છે. એ કવિના શ્વાસ છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે.‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. ‘કવિતા’એ ઇન્દ્રધનુષનો આઠમો રંગ છે, એ વાતાવરણને ઘોળીને બનાવેલું રસાયણ છે. એ પહાડથી ઉતરતી મીઠાશ છે, એ રક્તમાં સોંસરવી ઉતરી ગયેલી લીલાશ છે. એ હાંસિયામાંથી આવતી સુવાસ છે.
‘કવિતા’એ મંદિર જેટલી જ પવિત્રતા ધરાવે છે. જેના પગથિયા ચઢવાથી ઇશ્વરી ઉચાઇ પામવાની તક હાથ લાગે છે. ‘કવિતા’એ સમંદરમાંથી મોતિ એકત્ર કરવાની કપરી કસોટી છે. ‘તોફાન’ એ દરિયાનો સ્વભાવ છે! કવિતાનું પણ એવું જ છે. એક વિચાર માત્ર કવિના વિચારપટ ઉપર તોફાન મચાવી દે છે. એ વિચાર જ્યાં સુધી એક પરફેક્ટ ફોમમાં પરફેક્ટ રીતે રજુ ન થાય ત્યાં સુધી એ તોફાન કવિને સતત પજવ્યા કરે છે. અને એ તોફાન પછીની શાન્તિનો આનંદ કવિને એક સર્વોત્તમ ઉચાઇ પ્રદાન કરે છે. કવિતાનું મૂળ કોઇ પણ હોઇ શકે. કોઇ ઘટના, કોઇ ક્ષણ, કોઇ વાતાવરણ, કોઇ વ્યક્તિ, કોઇ પણ ! પણ એને ‘કવિતા’ની મંઝિલ સુધી પહોચાડવી એ માત્ર અને માત્ર કવિની પોતીકી આવડત ઉપર આધાર રાખે છે. ‘કવિતા’એ કવિની ભાષા-સજ્જતાનો પરિચય કરાવે છે. કયા શબ્દનો પ્રયોગ કેવી અસર જન્માવશે એ વાતથી કવિ સુપેરે વાકેફ હોવો જોઇએ.
અનુભવ અને નિરીક્ષણ આ બે બાબતો પણ કવિતાને એક નવો રંગ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. કવિ કોઇ પણ વાતાવરણને પોતીકુ ગણે છે. એ સવારને આંગણામાં પ્રેમથી વાવે છે, બપોરને સમય ફાળવીને ઉછેરે છે, સાંજને ખુલ્લા પગે સ્પર્શ કરવા અધીરાઇ બતાવે છે અને રાતને આંખમાં આંજવાની શ્રધ્ધા દાખવે છે. ‘કવિતા’ એ તારીખિયાના પાનાઓ ફાડીને બે દિવસને એકમેકમાં ઓતપ્રોત કરવાની પ્રક્રિયા છે. કવિતામાંથી ‘વાહ’ અને ‘આહ’ બંને ઉદભવે છે. ‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે. એ હાથમાં બગીચો ખિલવી શકે છે, એ વરસાદને વાવી અને વૃક્ષને વરસાવી શકે છે ! દરેક કવિતા પોતાનો એક મિજાજ ધરાવે છે. જેમાં કવિ પોતે, આસપાસનું વાતાવરણ, કોઇ ક્ષણ, કોઇ ઘટના અને આવું કંઇ કેટલુંયે સમેટાઇને આવે છે. ‘કવિતા’ એ વર્તમાનની ભીંત પર ભુતકાળને ચિતરવાની મથામણ છે. જેમાં સફળતા મેળવવી મહત્વની નથી પણ એ માટે મથવું એ જ મહત્વની વાત છે. ‘આંખ’ને ચહેરાની ભીંત ઉપર ટાંગેલી ફ્રેમ કહે એ જ કવિ. અને સ્વપ્નને એક ફોટો કહી એ ફ્રેમમાં મઢી પણ એજ આપે.
---- ટહુકો ----
‘કવિતા’ દિશા નથી ચીંધતી પણ નવી દિશા બનાવે છે. કવિતાથી મોટી એકે જિંદગી નથી અને જિવનથી મોટી એકે કવિતા નથી.
..............................................................................................................................
જિગર જોષી ‘પ્રેમ’
ગંગોત્રી પાર્ક / ૫૯,
યુનિ. રોડ, રાજકોટ-૫
મો : ૯૯૨૫૧૫૭૪૭૫
E-mail : jigarmsw@gmail.com
‘કવિતા’ એ કાગળ ઉપર પોતીકો અજવાસ પાથરવાની પ્રક્રિયા છે. એ કહેવાની કળા છે. એ પોતાના વિચારોને અન્યો ઉપર થોપી દેવાની બાબત નથી. ‘કવિતા’ તો આપમેળે ‘પોતાના’ બનાવે એવી ક્ષમતા ધરાવે છે. એ અનુભવોના ઇન્દ્રધનુષોથી રચાય છે. કવિ પોતે શબ્દોની પસંદગી વખતે ખૂબ જાગૃત હોવો જોઇએ તો અને તો જ કવિતાને ખરો નિખાર આપી શકવામાં એ પાર ઉતરે છે. કવિતા જેવું સુક્ષ્મ અને સક્ષમ તત્વ બીજું કંઇ નથી. એ કોઇ અગમતત્વ તરફની સુસ્પષ્ટ ગતિ છે. કવિતા એટલે શબ્દોની રંગોળી કરવી. અને શબ્દોની રંગોળી કરવી એ અતિ કઠીન બાબત છે. કવિતાના રંગ, એનો સ્વભાવ–મિજાજ એજ કવિની સાચી મુડી છે. કલમ એ ટેરવાઓની વચ્ચે ઉછરી રહેલી કૂંપળ છે. શબ્દ એ શ્યાહી બનીને પ્રસરેલું આકાશ છે, એમાં આકર્ષણ ઉપજાવે તેવી ભીનાશ છે. એ કવિના શ્વાસ છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે.‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. ‘કવિતા’એ ઇન્દ્રધનુષનો આઠમો રંગ છે, એ વાતાવરણને ઘોળીને બનાવેલું રસાયણ છે. એ પહાડથી ઉતરતી મીઠાશ છે, એ રક્તમાં સોંસરવી ઉતરી ગયેલી લીલાશ છે. એ હાંસિયામાંથી આવતી સુવાસ છે.
‘કવિતા’એ મંદિર જેટલી જ પવિત્રતા ધરાવે છે. જેના પગથિયા ચઢવાથી ઇશ્વરી ઉચાઇ પામવાની તક હાથ લાગે છે. ‘કવિતા’એ સમંદરમાંથી મોતિ એકત્ર કરવાની કપરી કસોટી છે. ‘તોફાન’ એ દરિયાનો સ્વભાવ છે! કવિતાનું પણ એવું જ છે. એક વિચાર માત્ર કવિના વિચારપટ ઉપર તોફાન મચાવી દે છે. એ વિચાર જ્યાં સુધી એક પરફેક્ટ ફોમમાં પરફેક્ટ રીતે રજુ ન થાય ત્યાં સુધી એ તોફાન કવિને સતત પજવ્યા કરે છે. અને એ તોફાન પછીની શાન્તિનો આનંદ કવિને એક સર્વોત્તમ ઉચાઇ પ્રદાન કરે છે. કવિતાનું મૂળ કોઇ પણ હોઇ શકે. કોઇ ઘટના, કોઇ ક્ષણ, કોઇ વાતાવરણ, કોઇ વ્યક્તિ, કોઇ પણ ! પણ એને ‘કવિતા’ની મંઝિલ સુધી પહોચાડવી એ માત્ર અને માત્ર કવિની પોતીકી આવડત ઉપર આધાર રાખે છે. ‘કવિતા’એ કવિની ભાષા-સજ્જતાનો પરિચય કરાવે છે. કયા શબ્દનો પ્રયોગ કેવી અસર જન્માવશે એ વાતથી કવિ સુપેરે વાકેફ હોવો જોઇએ.
અનુભવ અને નિરીક્ષણ આ બે બાબતો પણ કવિતાને એક નવો રંગ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. કવિ કોઇ પણ વાતાવરણને પોતીકુ ગણે છે. એ સવારને આંગણામાં પ્રેમથી વાવે છે, બપોરને સમય ફાળવીને ઉછેરે છે, સાંજને ખુલ્લા પગે સ્પર્શ કરવા અધીરાઇ બતાવે છે અને રાતને આંખમાં આંજવાની શ્રધ્ધા દાખવે છે. ‘કવિતા’ એ તારીખિયાના પાનાઓ ફાડીને બે દિવસને એકમેકમાં ઓતપ્રોત કરવાની પ્રક્રિયા છે. કવિતામાંથી ‘વાહ’ અને ‘આહ’ બંને ઉદભવે છે. ‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે. એ હાથમાં બગીચો ખિલવી શકે છે, એ વરસાદને વાવી અને વૃક્ષને વરસાવી શકે છે ! દરેક કવિતા પોતાનો એક મિજાજ ધરાવે છે. જેમાં કવિ પોતે, આસપાસનું વાતાવરણ, કોઇ ક્ષણ, કોઇ ઘટના અને આવું કંઇ કેટલુંયે સમેટાઇને આવે છે. ‘કવિતા’ એ વર્તમાનની ભીંત પર ભુતકાળને ચિતરવાની મથામણ છે. જેમાં સફળતા મેળવવી મહત્વની નથી પણ એ માટે મથવું એ જ મહત્વની વાત છે. ‘આંખ’ને ચહેરાની ભીંત ઉપર ટાંગેલી ફ્રેમ કહે એ જ કવિ. અને સ્વપ્નને એક ફોટો કહી એ ફ્રેમમાં મઢી પણ એજ આપે.
---- ટહુકો ----
‘કવિતા’ દિશા નથી ચીંધતી પણ નવી દિશા બનાવે છે. કવિતાથી મોટી એકે જિંદગી નથી અને જિવનથી મોટી એકે કવિતા નથી.
..............................................................................................................................
જિગર જોષી ‘પ્રેમ’
ગંગોત્રી પાર્ક / ૫૯,
યુનિ. રોડ, રાજકોટ-૫
મો : ૯૯૨૫૧૫૭૪૭૫
E-mail : jigarmsw@gmail.com
Saturday, January 2, 2010
ગઝલ : થાક
એક તો લાગ્યો છે અમને જાતરાનો થાક
ને ઉપર થીજી ગયો તારા જવાનો થાક
સાંજના વાતાવરણમાં તું અગર ના હોય
શક્ય છે, લાગી શકે, ગમતી જગાનો થાક
ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એજ
આંખથી નિતર્યા કરે છે ચાહવાનો થાક
તુંય ઘેલી છે અલી ! કેવી કરે છે વાત !
આભને લાગે કદી આ વાદળાંનો થાક ?
ચાલ મન ! મંદિર તરફ ચાલીને જઇએ સહેજ
એ બહાને પીગળે નાસ્તિકપણાંનો થાક
હસ્તરેખાઓ અવાચક થઇ ગઈ છે ‘પ્રેમ’
હાથને લાગ્યો છે પત્રો બાળવાનો થાક
- Jigar Joshi 'Prem'
ઉદ્દેશ – ડિસેમ્બર – 2009
ને ઉપર થીજી ગયો તારા જવાનો થાક
સાંજના વાતાવરણમાં તું અગર ના હોય
શક્ય છે, લાગી શકે, ગમતી જગાનો થાક
ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એજ
આંખથી નિતર્યા કરે છે ચાહવાનો થાક
તુંય ઘેલી છે અલી ! કેવી કરે છે વાત !
આભને લાગે કદી આ વાદળાંનો થાક ?
ચાલ મન ! મંદિર તરફ ચાલીને જઇએ સહેજ
એ બહાને પીગળે નાસ્તિકપણાંનો થાક
હસ્તરેખાઓ અવાચક થઇ ગઈ છે ‘પ્રેમ’
હાથને લાગ્યો છે પત્રો બાળવાનો થાક
- Jigar Joshi 'Prem'
ઉદ્દેશ – ડિસેમ્બર – 2009
ગીત : ‘પીડા’ એક મનગમતું નામ
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
મહેંદીની જેમ એના ઊભરાશે રંગ અને એને પણ ભરવાના શ્વાસમાં
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
રાતોના સંચાથી સપનાની પેન્સિલને ઘસવાના કામ અમે કીધાં
કોઇ વરસ્યુ અગાઢ અને સામે અમેય ખોબે ખોબે ઊજાગરાઓ પીધાં
મને રસ્તાઓ મેણલાઓ મારે છે એવા 'આને મેલી આવો મજનુના ગામમાં'
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
તારી મીઠપ જોઈને અમે દરિયો થઈ જઈએ અને વાદળાઓ વરસાવે પ્યાર,
તને ધસમસતી ધસમસતી બાંહોમાં લઈએ જાણે નદિયુંનો તું હો અવતાર
સાંજોની સાંજોને ગૂંથ્યા કરીશું પછી વીણી ભરેલ તારા વાળમાં
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
- જિગર જોષી ‘પ્રેમ’
તાદર્થ્ય – નવેમ્બર-2009
મહેંદીની જેમ એના ઊભરાશે રંગ અને એને પણ ભરવાના શ્વાસમાં
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
રાતોના સંચાથી સપનાની પેન્સિલને ઘસવાના કામ અમે કીધાં
કોઇ વરસ્યુ અગાઢ અને સામે અમેય ખોબે ખોબે ઊજાગરાઓ પીધાં
મને રસ્તાઓ મેણલાઓ મારે છે એવા 'આને મેલી આવો મજનુના ગામમાં'
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
તારી મીઠપ જોઈને અમે દરિયો થઈ જઈએ અને વાદળાઓ વરસાવે પ્યાર,
તને ધસમસતી ધસમસતી બાંહોમાં લઈએ જાણે નદિયુંનો તું હો અવતાર
સાંજોની સાંજોને ગૂંથ્યા કરીશું પછી વીણી ભરેલ તારા વાળમાં
અમે પીડાઓ ચિતરાવી હાથમાં
- જિગર જોષી ‘પ્રેમ’
તાદર્થ્ય – નવેમ્બર-2009
ગઝલ : કોઈ આંખના સન્માન અર્થે
હતાં એ જ છઇએ ; હતાં એજ રહિશું
અને નહિ ગમે એતો મોઢે જ કહિશું
તને આંગળી ચિંધશે ક્યાંક સંજોગ
તો સંજોગની આંગળી કાપી લઇશું
ધરા આભ બંનેના અવશેષ લઇને
તને મળવા કાજે ક્ષિતિજેય જઇશું
તને હક છે ના પાડવાનો પ્રિયે! પણ,
અમે તારી ‘ના’નેય ‘હા’માં જ લઇશું
કોઈ આંખના ‘પ્રેમ’ ! સન્માન અર્થે
જો ! આઘા થયા એમ સામા’ય થૈશું
અને નહિ ગમે એતો મોઢે જ કહિશું
તને આંગળી ચિંધશે ક્યાંક સંજોગ
તો સંજોગની આંગળી કાપી લઇશું
ધરા આભ બંનેના અવશેષ લઇને
તને મળવા કાજે ક્ષિતિજેય જઇશું
તને હક છે ના પાડવાનો પ્રિયે! પણ,
અમે તારી ‘ના’નેય ‘હા’માં જ લઇશું
કોઈ આંખના ‘પ્રેમ’ ! સન્માન અર્થે
જો ! આઘા થયા એમ સામા’ય થૈશું
- જિગર જોષી ‘પ્રેમ’
વિ. વીદ્યાનગર – જાન્યુઆરી – 2010
Thursday, December 10, 2009
નહિ !!! જિગર જોષી 'પ્રેમ'
વિતેલી ક્ષણોને ફરી બાંધવી છે લઈ આવ રસ્સી અને કોઇ એવી જગા પણ લઈ આવ જ્યાંથી ક્ષણોને ફરી ભાગવાનો જ મોકો મળે નહિ
અને કાં પછી એમ કર કે ક્ષણોનું ગળું દાબી ગુંગળાવી મારી પીટો ઢોલ જેથી નગરવાસીઓ એની કિકિયારીઓ સાંભળે નહિ...
અરે ! એમનું સહેજ કીધું કર્યું ત્યાં મને કેવા કેવા એ સોંપે છે કામો કે - ખુશ્બૂને કાગળ ઉપર દ્યો ઉતારી અને ફુલને સહેજ લાવો મઠારી,
પછી એમને ટેવ પડશે તો કે'શે લ્યો ! સૂરજને ઠારો અને ચાંદને સહેજ નીચે ઉતારો, સિતારને જઇને કહો રોજ એ ઝળહળે નહિ !
કવિનું જો માનો ઉદાસી તમારે ઘરે હોય તો બારણાંઓ કરી બંધ ઘોંટાઇ જાવામાં લિજ્જત રહી છે લખી લેજો દિલની દિવાલોના ખૂણે,
હ્રદય જેવું હો તો વિચારીને કહેજો ફકત આપણાં વેંત જેવા આ દર્દોને કારણ કહો કેમ પંખીને કહેવું કે ટહુકાનો વરસાદ લઇ નીકળે નહિ !
મને એક જણ આમ કહેતા મળ્યો કે - તમે આમ કરજો તમે તેમ કરજો અને ક્યાય સલવાઇ જાઓ મને ફોન કરજો ; પછી સામે મેં પણ કહ્યું કે,
સલાહો જ દેવાનો હો શોખ તો ભઇ હરણને જ સમજાવો જઇને કે એ ટળવળે નહિ, ખરા છો તમે ! ઝાંઝવાઓને નિકળ્યા છો કહેવા કે મૃગને છળે નહિ !!!
-જિગર જોષી 'પ્રેમ'
અને કાં પછી એમ કર કે ક્ષણોનું ગળું દાબી ગુંગળાવી મારી પીટો ઢોલ જેથી નગરવાસીઓ એની કિકિયારીઓ સાંભળે નહિ...
અરે ! એમનું સહેજ કીધું કર્યું ત્યાં મને કેવા કેવા એ સોંપે છે કામો કે - ખુશ્બૂને કાગળ ઉપર દ્યો ઉતારી અને ફુલને સહેજ લાવો મઠારી,
પછી એમને ટેવ પડશે તો કે'શે લ્યો ! સૂરજને ઠારો અને ચાંદને સહેજ નીચે ઉતારો, સિતારને જઇને કહો રોજ એ ઝળહળે નહિ !
કવિનું જો માનો ઉદાસી તમારે ઘરે હોય તો બારણાંઓ કરી બંધ ઘોંટાઇ જાવામાં લિજ્જત રહી છે લખી લેજો દિલની દિવાલોના ખૂણે,
હ્રદય જેવું હો તો વિચારીને કહેજો ફકત આપણાં વેંત જેવા આ દર્દોને કારણ કહો કેમ પંખીને કહેવું કે ટહુકાનો વરસાદ લઇ નીકળે નહિ !
મને એક જણ આમ કહેતા મળ્યો કે - તમે આમ કરજો તમે તેમ કરજો અને ક્યાય સલવાઇ જાઓ મને ફોન કરજો ; પછી સામે મેં પણ કહ્યું કે,
સલાહો જ દેવાનો હો શોખ તો ભઇ હરણને જ સમજાવો જઇને કે એ ટળવળે નહિ, ખરા છો તમે ! ઝાંઝવાઓને નિકળ્યા છો કહેવા કે મૃગને છળે નહિ !!!
-જિગર જોષી 'પ્રેમ'
ગઝલ - જિવન આખું વહી જાશે.. જિગર જોષી 'પ્રેમ'
કરૂં છું વાત શ્વાસોની ને શ્વાસો સૌ ઉછીના છે, ઉછીનું આ બધું ભરપાઇ કરવામાં જિવન આખું વહી જાશે.
ગગન વચ્ચે હું માણસ એકલો, સામે દુ;ખો તારાઓ જેવા છે, અને તારઓ ગણવામાં જિવન આખું વહી જાશે.
તમે જે જોયું, જાણ્યું, વાંચ્યું, માણ્યું, પામ્યું કે અનુભવ કર્યો છે એ તો કુદરતના ફકત એક અંશ જેવું છે,
'આ સૃષ્ટિ ગર્ભ છે ને ગર્ભમાં પણ સેંકડો સૃષ્ટિ હજી અકબંધ છે' એવું સમજવામાં જિવન આખું વહી જાશે.
સ્મરણ ફુગ્ગો નથી કે ફટ્ટ દઇ ફૂટે, સ્મરણ તો આઇનો પણ નૈં કે તૂટે ને સ્મરણ અફવા'ય ક્યાં છે કે ઉડે એમ જ !
અમે તો પાને-પાને એ લખી રાખ્યું 'સ્મરણ એવું વમળ છે કે વમળમાંથી નિકળવામાં જિવન આખું વહી જાશે.'
અઢી અક્ષરનું ચોમાસુ બધાના ભાગ્યમાં હોતુ નથી એ વાત નક્કી છે અને એમાં જે ભીંજાયા સુભાનાલ્લાહ...
પછી જે મ્હેક ફૂટે છે, પછી જે શબ્દ સ્ફૂરે...એ બધું જે થાય છે એને જ લખવામાં જિવન આખું વહી જાશે.
તમે કે'શો તો ઘર છોડીને હું ચાલ્યો જઇશ એવી જગાએ જ્યાં ન કોઇ સાદ કે સંવાદ કે વરસાદ પહોંચે 'પ્રેમ' !
પરંતુ એ'ય નક્કી કે પછી લાખ્ખો વખત બોલાવશો તો પણ... પણેથી પાછું ફરવામાં જિવન આખું વહી જાશે.
- જિગર જોષી 'પ્રેમ'
ગઝલ ; હવે આરામ કરવો છે ! જિગર જોષી 'પ્રેમ'
અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરા ઉતારીને હવે આરામ કરવો છે.
સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે
ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદિઓથી,
જુઓ નફ્ફટ ઉદાસીને ! હવે આરામ કરવો છે !
'કશો તો મર્મ છે એમાં અમસ્તું કંઇ નથી થાતું
'ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.
વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.
સમયના જિર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
'જિગર'! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.
- જિગર જોષી 'પ્રેમ'
ગઝલ / - એની રામાયણ છે. જિગર જોષી 'પ્રેમ'
સમય નામના બંધ કવરમાં પોસ્ટ થયેલા કાગળ જેવું જિવતર લઇને અવતરવાનું આવ્યું-એની રામાયણ છે,
પહેલા તો સપનું થાવુ 'તુ સપના બદલે આંસુ થ્યા, ને આંસુ થ્યા તો ઝરમરવાનું આવ્યું-એની રામાયણ છે.
આમ જુઓ તો શ્ર્ધ્ધા - બધ્ધા ધરમ - બરમ કે મંદિર સાથે કોઇ પ્રકારે ના જોડાયા-નું ગૌરવ છે શ્વાસે-શ્વાસે,
પહેલા તો સપનું થાવુ 'તુ સપના બદલે આંસુ થ્યા, ને આંસુ થ્યા તો ઝરમરવાનું આવ્યું-એની રામાયણ છે.
આમ જુઓ તો શ્ર્ધ્ધા - બધ્ધા ધરમ - બરમ કે મંદિર સાથે કોઇ પ્રકારે ના જોડાયા-નું ગૌરવ છે શ્વાસે-શ્વાસે,
આમ જુઓ તો નાસ્તિક જેવા નાસ્તિક થઇને ઇશ્વરની મુરત સામે જઇ કરગરવાનું આવ્યું-એની રામાયણ છે.
રોજ સવારે ભીની ભીની ઝાકળ જેવી ગમતી ક્ષણને સૂરજના પડકારની સામે ઉછેરવામાં સફળ થયા, પણ,
રોજ સાંજના દરિયા જેવી ઇચ્છાઓને છિપલા જેવા શ્વેત - નગરમાં સંઘરવાનું આવ્યું - એની રામાયણ છે !
યાદોના પેસેન્જર સાથે ફિક્કા શ્વાસના ખંજર સાથે સડસડાટ દોડી આવી છે 'ભુતકાળ' નામે કોઇ ટ્રેન,
સાવ અકારણ ખુલ્લમ ખુલ્લી છાતી લઇને, વર્તમાનના પાટા થઇને થરથરવાનું આવ્યું - એની રામાયણ છે.
રોજ સવારે ભીની ભીની ઝાકળ જેવી ગમતી ક્ષણને સૂરજના પડકારની સામે ઉછેરવામાં સફળ થયા, પણ,
રોજ સાંજના દરિયા જેવી ઇચ્છાઓને છિપલા જેવા શ્વેત - નગરમાં સંઘરવાનું આવ્યું - એની રામાયણ છે !
યાદોના પેસેન્જર સાથે ફિક્કા શ્વાસના ખંજર સાથે સડસડાટ દોડી આવી છે 'ભુતકાળ' નામે કોઇ ટ્રેન,
સાવ અકારણ ખુલ્લમ ખુલ્લી છાતી લઇને, વર્તમાનના પાટા થઇને થરથરવાનું આવ્યું - એની રામાયણ છે.
- જિગર જોષી 'પ્રેમ'
Subscribe to:
Comments (Atom)